
પહેલાના સમયમાં જયારે દેશની આરોગ્ય સેવાઓ સારી ન હતી. એ સમયગાળા દરમિયાન અનેક માતાઓ તથા નવજાત શિશુઓ મૃત્યુ પામતા હતા. પરંતુ હવે સેવાઓનો વ્યાપ વધતા આનું પ્રમાણ ઓછું થયું છે.
સાથે જ આપણા દેશમાં હવે આરોગ્યની સાર સંભાળને લઈને જાગૃતિ આવી ગયી છે. જેથી દેશની સરકાર દ્વારા માતૃત્વ ધારણ કરેલી સ્ત્રીઓ માટે પીએમ સુરક્ષિત માતૃત્વ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ યોજના ગર્ભાવતી મહિલાઓ અને નવજાત શિશુઓ માટે આરોગ્ય સેવાને વધુ સુલભ અને ગુણવત્તાવાળી બનાવવાનો ઉદ્દેશ્ય રાખે છે. યોજનાનો મુખ્ય હેતુ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.
વિશેષ : યોજના થકી દરેક ગર્ભ ધારણ કરેલી સ્ત્રીઓને નવજાત શિશુના જન્મ પછી સરકાર તરફથી 6 મહિના સુધી મફત સારવાર ફાળવવામાં આવે છે.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના
અત્યારના સમયમાં પણ દેશની ઘણી મહિલાઓ એવી છે કે જેઓ નાણાકીય સમસ્યાના અભાવે પોતાનો યોગ્ય રીતે ઈલાજ કરાવી શક્તી નથી. જેના પરિણામે સગર્ભા સ્ત્રી અને બાળક બંને ઉપર નકારાત્મક અસર પડે છે.
આવા કિસ્સાઓમાં ઘણી વાર માતા તો ઘણી વાર બાળકનું મૃત્યુ થતું હોય છે. આ સમસ્યાના લીધે બાળ મૃત્યુદર પણ વધે છે. જેના લીધે દેશની આરોગ્ય સુવિધાને લઈને પણ અનેક સવાલો ઉઠે છે.
જ્યારથી આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ આને ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. અત્યાર સુધી દેશની કરોડો ગર્ભવતી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવીને આનંદિત થઇ છે.
જાણો : ફક્ત નાણાકીય જ નહીં પરંતુ અન્ય પણ ઘણી બધી રીતે મહિલાઓને યોજના થકી લાભ મળવા પાત્ર છે. આ યોજના અંગેનું ફોર્મ તમે ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે ભરી શકો છો.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાની માહિતી
આ દરમિયાન તે સરકાર પાસેથી સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના નો લાભ લઇ શક્તી હોય છે. આ યોજનાની તમામ ઉપયોગી માહિતીને અહીં દર્શાવવામાં આવી છે.
| વિગત | માહિતી |
|---|---|
| યોજનાનું નામ | પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) |
| શરૂઆત | 9 જૂન, 2016 |
| ઉદ્દેશ્ય | સગર્ભા મહિલાઓને નિ:શુલ્ક, વ્યાપક અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિપૂર્વ સંભાળ પ્રદાન કરવી |
| લક્ષ્યાંકિત લાભાર્થીઓ | તમામ સગર્ભા મહિલાઓ (ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગની) |
| મુખ્ય સુવિધાઓ | – દર મહિનાની 9મી તારીખે નિ:શુલ્ક પ્રસૂતિપૂર્વ તપાસ – નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તપાસ – નિ:શુલ્ક દવાઓ અને પરીક્ષણો – ઉચ્ચ જોખમવાળી સગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન |
| અમલીકરણ એજન્સી | ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
| સ્લોગન | “આપણે બધા માટે સુરક્ષિત સગર્ભાવસ્થા સુનિશ્ચિત કરીએ” |
વિશેષ વિગત : માતૃત્વ એ દરેક મહિલાના જીવનનો એક અગત્યનો હિસ્સો હોય છે. જેમાં તે 9 મહિના સુધી બાળકને પોતાની કૂખમાં રાખે છે. શિશુના જન્મ બાદ પણ તે તેને ઉછેરવાનું કાર્ય કરતી હોય છે.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાની માહિતી
ગર્ભાવસ્થા તથા નવજાત બાળકોની માતાઓ માટે સરકાર દ્વારા અવનવી પહેલ કરવામાં આવે છે. જેમાંથી એક આ યોજના પણ છે. જેના વિશે અનેક લોકો જાણવા માંગે છે, તેથી અમે આની માહિતીને દર્શિત કરી છે.
યોજનાનો પરિચય
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના ભારત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પહેલી એપ્રિલ 2019 થી શરુ કરવામાં આવી હતી.
યોજનાનો હેતુ
- આરોગ્ય સેવાઓના ગુણવત્તાવાળા પ્રદાનને સુનિશ્ચિત કરવું.
- મહિલાઓ અને નવજાત બાળકોને આરોગ્ય સેવાઓ સુલભ અને મફત પાડવું.
ફ્રી પ્રી-નેટલ, ડિલિવરી અને પોસ્ટ-નેટલ કેર
- ગર્ભાવસ્થાની શરૂઆતથી લઇને ડિલિવરી સુવિધા.
- મેડિકલ ચેકઅપ માટે મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.
બેટર મેડિકલ સપોર્ટ અને આરોગ્યનાં પ્રમાણ
- હજારો ગર્ભાવતી મહિલાઓ માટે સલામતી.
- આરોગ્યને વધુ મજબૂત બનાવવું.
યોજનાની ખાસિયતો
- ગર્ભાવતી મહિલાઓને મફત ડિલિવરી.
- ન્યૂટ્રીશનલ કેર આપવામાં આવે છે.
માતૃત્વ માટે આરોગ્ય સુવિધાઓ
- ગર્ભાવસ્થાના સમયે કેર અને ચેકઅપ.
- આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવે છે.
નવજાત માટે મેડિકલ કેમ્પ્સ
- જન્મેલા બાળકને આરોગ્ય કેન્દ્રો, અને હોસ્પિટલોમાં સેવા મળે છે.
- મેડિકલ ચેકઅપ અને ડાયગ્નોસ્ટિક સર્વિસ પૂરી પાડવામાં આવે છે.
અન્ય સેવાઓ
- મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓના વિતરણ માટે.
- દવાઓ, આરોગ્ય સેન્ટરો, તેમજ કોન્સેલિંગ.
- મનોવૈજ્ઞાનિક મદદ તમામ સેવાઓ એક જ સ્થાન પર ઉપલબ્ધ છે.
પાત્રતા
- ગર્ભાવતી મહિલાઓ, જેમણે પ્રિ-નેટલ ચેકઅપ (ANC) માટે નોંધણી કરી છે.
- 6 મહિના સુધીના નવજાત શિશુઓ.
- મહિલાઓ અને બાળકો, જેમણે આરોગ્યની જરૂરિયાત જણાવી છે.
અરજી કેવી રીતે કરવી
- નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નર્સિંગ હોમમાં જઈને નોંધણી કરો.
- આ અંગેની જાણકારી નજીકના આંગણવાડી કેન્દ્ર પરથી લઇ શકો છો.
વેબસાઇટ દ્વારા
- SUMAN યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
- વિવિધ કેન્દ્રો અને આરોગ્ય વિભાગની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકાય છે.
હેલ્પલાઈન
- SUMAN યોજનાના અમલ માટે હેલ્પલાઈન દ્વારા પણ મદદ મેળવી શકાય છે.
- આ નંબર પર કોલ કરીને તમે મદદ મેળવી શકો છો.
100% મફત સેવા
- આ યોજના હેઠળ, ગર્ભાવતી મહિલાઓને મફત આરોગ્ય સેવાઓ મળી શકે છે.
- આરોગ્ય સેવાઓ, ડિલિવરી, અને પુનઃપ્રાપ્તિ સહાય પણ મળતી હોય છે.
માતૃત્વ અને શિશુ આરોગ્ય સુધારવા માટે નીતી
- સરકારી આરોગ્ય કેન્દ્રો દ્વારા સમયસર કેર પૂરી પાડવામાં આવે છે.
- પ્રશિક્ષિત નર્સોની દેખરેખ હેઠળ 100% સુરક્ષિત ડિલિવરી.
આ યોજના દ્વારા મફત આરોગ્ય, મેડિકલ ચેકઅપ, અને સારવાર પ્રાપ્ત કરી શકે છે, જે માતૃત્વ અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. SUMAN યોજના સાથે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગર્ભાવતી મહિલાઓના આરોગ્યને મજબૂત અને સુરક્ષિત બનાવવાના હેતુથી કામ કરી રહી છે.
નોંધ : વધુ માહિતી માટે, SUMAN યોજનાની વેબસાઇટ અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે સંપર્ક કરો.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન માટેના પાત્રતા માપદંડો
સામાન્ય રીતે આવી યોજના અંગેના કોઈ ચોક્કસ પાત્રતા માપદંડો હોતા નથી. જે પણ ગર્ભ ધારણ કરેલી સ્ત્રીઓ છે તે આ યોજનાનો લાભ લઇ શકવા માટે સક્ષમ ગણાય છે.
સગર્ભા મહિલાઓ
- કોઈપણ ઉંમરની સ્ત્રીઓ
- કોઈપણ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિની
- સગર્ભાવસ્થાના કોઈપણ તબક્કામાં
નવજાત શિશુઓ
- જન્મથી 42 દિવસ સુધીના બાળકો.
- કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની રહેવાસી હોવી જોઈએ.
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર ધરાવતી મહિલાઓ.
- ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવતી મહિલાઓ પણ પાત્ર છે.
- આરોગ્ય વીમા ધરાવતી મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- કોઈ આવકનો માપદંડ નથી તમામ આર્થિક વર્ગની મહિલાઓ પાત્ર છે.
માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુને અનુલક્ષીને આ યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ પ્રશિક્ષિત નર્સોની દેખરેખ હેઠળ 100% સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાના દસ્તાવેજો
અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. જેના દ્વારા અરજદારને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સરળતા રહેતી હોય છે.
- આધાર કાર્ડ
- મતદાર ઓળખ પત્ર
- પાન કાર્ડ
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- પ્રેગ્નન્સી કાર્ડ / ANC કાર્ડ
- બીપીએલ (ગરીબી રેખા નીચે) કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC )
- બેંક પાસબુક / કેન્સલ ચેક (DBT માટે)
- પાછલા મેડિકલ રિપોર્ટ્સ (જો કોઈ હોય તો)
- ગર્ભાવસ્થા સંબંધિત તબીબી ઇતિહાસ
- રસીકરણ રેકોર્ડ
- લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાના લાભ
જે પણ મહિલાઓએ ગર્ભ ધારણ કરેલો છે તેઓને યોજના થકી અહીં દર્શાવેલી સુવિધાઓ પ્રાપ્ત થવા પાત્ર છે. જેની સંપૂર્ણ જાણકારી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
નિ:શુલ્ક પ્રસૂતિપૂર્વ સંભાળ
- આમાં નિયમિત તપાસ, લોહીની તપાસ, પેશાબની તપાસ કરવામાં આવે છે.
- આયર્ન તથા ફોલિક એસિડ પૂરવણીનો સમાવેશ થાય છે.
મફત પ્રસૂતિ સેવાઓ
- સંસ્થાકીય પ્રસૂતિ, જરૂર પડે તો સિઝેરિયન સેક્શન.
- આવશ્યક દવાઓ તથા ઉપકરણો પૂરા પાડવામાં આવે છે.
નિ:શુલ્ક પોષણ આહાર
- સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે.
- આના કારણે મહિલાઓના આરોગ્યમાં સુધારો આવે છે.
રસીકરણ સેવાઓ
- માતા અને બાળક માટે આવશ્યક રસીઓ આપવામાં આવે છે.
- જેના થકી તેઓના સ્વાસ્થ્યમાં સારા પરિવર્તનો આવી શકે.
જોખમી સગર્ભાવસ્થાનું વ્યવસ્થાપન
- જોખમવાળી સગર્ભાવસ્થાને ઓળખી અને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે.
- આવી રીતે સંભાળ લેવામાં આવે છે અને તેથી જ મૃત્યુ આંક ઓછો થાય છે
પ્રસૂતિ પછીની સંભાળ
- નવજાત શિશુની સંભાળ અને સ્તનપાન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
- આ તાલીમના કારણે માતા અને બાળક બંનેને સુરક્ષિતતા પણ મળી રહે છે.
માનસિક સ્વાસ્થ્ય સહાય
- સગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત તમામ માહિતી પુરી પાડવામાં આવે છે.
- માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
પરિવાર નિયોજન સલાહ
- યોગ્ય પરિવાર નિયોજન પદ્ધતિઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.
- પોતાના પરિવાર સાથે તે કેવી રીતે મેડ બેસાડી શકે છે તે પણ સમજાવાય છે.
આરોગ્ય શિક્ષણ અને જાગૃતિ
- માતૃ અને બાળ આરોગ્ય અંગે શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
- આવા કાર્યક્રમોના લીધે નવજાત શિશુઓની માતામાં જાગૃતિ પણ જોવા મળે છે.
ઘરે મુલાકાત સેવાઓ
- આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરે મુલાકાત લઈને સંભાળ પૂરી પાડવામાં આવે છે.
- આથી જ ગામડાઓમાં પણ ઘરે ઘરે આવી સેવાઓ અપાતી હોય છે.
ઉચ્ચ જોખમવાળા કેસોમાં વિશેષજ્ઞ સલાહ
- જરૂર પડે ત્યારે નિષ્ણાત ડૉક્ટરોની સલાહ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- આના લીધે એક સુરક્ષિત પ્રસુતિની સુનિશ્ચિતતા પણ જોવા મળે છે.
આપાતકાલીન પરિવહન સેવાઓ
- જરૂર પડે ત્યારે હોસ્પિટલ સુધી પહોંચવા માટે વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
આ અભિયાન હેઠળ સગર્ભા મહિલાઓને એક સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં આવે છે. જેનો પૂરો ખર્ચ દેશની કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે
નોંધ : આ લાભો દ્વારા, સુમન યોજના સગર્ભા મહિલાઓને સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત માતૃત્વ સંભાળ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાનો ઉદ્દેશ્ય
દરેક સરકારી યોજના શરૂ કરવા પાછળ સરકારનો કોઈ ને કોઈ ઉદ્દેશ્ય જરૂર છુપાયેલો હોય છે. એવી જ રીતે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાનો પણ એક હેતુ રહેલો છે.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાનો હેતુ એ જ છે કે દેશમાં માતા અને બાળકોનો મૃત્યુદર ઘટે. સાથે જ સારી આરોગ્ય સેવાઓના કારણે લોકોનું જીવન ધોરણ સુધરી શકે.
સાથે જ મફત સેવાઓ પ્રદાન કરીને, આ યોજના ગરીબ અને વંચિત પરિવારો પર આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં, મહિલાઓ માટે આરોગ્ય સેવાઓની પહોંચ આના લીધે વધે છે.
સવાલ જવાબ (FAQ)
દરેક સરકારી સ્કીમની જેમ જ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉદ્દભવતા હોય છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવવામાં આવ્યા છે.
(1) સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના શું છે તેની માહિતી આપો?
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના એ એક પ્રકારની સ્કીમ છે.
(2) સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના માટે કોણ અરજી કરી શકે છે?
પીએમ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનામાં ગર્ભાવસ્થા વાળી સ્ત્રી અરજી કરી શકે છે.
(3) પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના ક્યારે શરૂ થઇ હતી?
પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ આશ્વાસન પ્રસૂતા સુમન યોજના 9 જૂન, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
(4) આ યોજના હેઠળ મહિલાઓને શું લાભ મળવા પાત્ર હોય છે?
સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને શિશુના જન્મ પછી 6 મહિના સુધી મફતમાં સારી આરોગ્ય સંભાળ મળે છે.
(5) સુરક્ષિત્ત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) કેમ શરૂ કરવામાં આવ્યું?
સરકાર દ્વારા સુરક્ષિત્ત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) એ માટે શરૂ કરવામાં આવ્યું હતું કારણ કે ગરીબ ગર્ભવતી મહિલાઓને સારી આરોગ્ય સંભાળ મળી રહે અને માતા-શિશુનો મરણદર ઓછો થાય.
આશા કરુ છુ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના યોજના અંગેની પુરી માહિતી આપવામાં સફળ રહી છુ. તો મળીએ આપણી નવી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.
